(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

યુપીઆઈથી રકમ મોકલવામાં ભૂલ થાય તો?

યુપીઆઇથી કોઈ પણ રકમ મોકલવામાં ત્રણ પ્રકારની ભૂલ થવાની સંભાવના રહે છે ઃ

૧. આપણે યુપીઆઇ નંબર કે આઇડી લખવામાં ભૂલ કરીએ.

આવી ભૂલ મોંઘી પડતી નથી કેમ કે તેમાં ટ્રાન્ઝેક્શન સફળ થતું નથી, એવો કોઈ યુપીઆઇ નંબર કે આઇડી હોય જ નહીં તો રકમ આપણા ખાતામાંથી જતી નથી.

૨. આપણે રકમ જેને મોકલવાની હોય તેને જ મોકલીએ, પણ ભૂલથી ખોટી રકમ લખી નાખીએ.

આવી ભૂલમાં રકમ ઓછી લખી હોય તો તો ઉપાધિ નહીં, પણ રકમ વધુ લખાઈ જાય તો મોટી ઉપાધિ! રકમ લખવામાં ભૂલ થવાની શક્યતા પૂરેપૂરી છે, છેલ્લે એક મીંડું કે બીજો કોઈ આંકડો ઉમેરાઈ જાય તો એ ભૂલ ભારે પડી જાય. આવી ભૂલમાં, જો રકમ મેળવનારી વ્યક્તિ સામે જ હોય તો તેની સાથે વાતચીત કરી, વધારાની રકમ પરત મેળવી શકાય. એ વ્યક્તિ કે કંપનીનો સીધો સંપર્ક શક્ય ન હોય તો તેને કોલ કરીને કે ઇમેઇલ દ્વારા જાણ કરીને રકમ પરત મેળવવાનો પ્રયાસ કરવો પડે.

૩. આપણે રકમ ખોટી વ્યક્તિને જ મોકલી બેસીએ.

આવી ભૂલ સૌથી આકરી પડી શકે છે. જો આપણે ક્યૂઆર કોડ સ્કેન કરીને યુપીઆઇથી પેમેન્ટ કરીએ તો આપણે જેને રકમ આપવાની હોય એ જ વ્યક્તિના ખાતામાં જાય. પરંતુ જ્યારે મોબાઇલ નંબર કે યુપીઆઇ એડ્રેસ આપીને રકમ મોકલવાની હોય ત્યારે તેમાં આપણી પોતાની માનવસહજ ભૂલ થવાની શક્યતા રહે છે.

આમ તો અહીં ભૂલની શક્યતા ઓછી છે કેમ કે જ્યારે આપણે ફોન નંબર કે યુપીઆઇ એડ્રેસ આપીએ ત્યારે જે તે યુપીઆઇ એપ એ યુપીઆઇ એડ્રેસ વેરિફાય કરે છે અને આપણને એ યુપીઆઇ એડ્રેસ સાથે સંકળાયેલ વ્યક્તિ કે કંપનીનું નામ જણાવે છે. આટલી ખાતરી કર્યા પછી આપણે રકમ ટ્રાન્સફર કરીએ તો તે રકમ જે તે વ્યક્તિને આપવાની હોય તેના જ ખાતામાં પહોંચે એ દેખીતું છે.

તેમ છતાં ક્યારેક ઉતાવળમાં આપણે ભૂલ કરી બેસીએ તો રકમ કોઈ ભળતી વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર થઇ જાય.

આ સ્થિતિમાં આપણે તરત આપણી બેન્કનો સંપર્ક કરી તેને આ ભૂલની જાણ કરવી જરૂરી છે. આપણે કરેલું ટ્રાન્ઝેક્શન સફળ થયાનો જે મેસેજ મળે તેનો સ્ક્રીનશોટ સાચવવો પણ જરૂરી છે. આ વિગતો સાથે, બેન્ક મેનેજરને રૂબરૂ મળી, તેમને લેખિતમાં અરજી આપીએ તો આપણી બેન્ક, જે બેન્કના ખાતામાં રકમ ભૂલથી ગઈ હોય તેનો સંપર્ક કરે અને તે, જેણે આપણી ભૂલથી રકમ મેળવી હોય તે ખાતાધારકનો સંપર્ક કરે અને તે વ્યક્તિ મંજૂરી આપે તો આપણી રકમ પરત આપણા ખાતામાં આવી શકે છે. આમ, આખી વાતમાં ઘણા જો અને તો છે.


યુપીઆઇ વ્યવસ્થા અત્યંત સહેલી અને ઝડપી છે, તેને સલામત તથા એરર-પ્રૂફ બનાવવાના પૂરતા પ્રયાસો થયા છે, પણ માનવસહજ ભૂલ શક્ય છે.

તેની સૌથી મોટી તકલીફ એ છે કે અહીં સીધા આપણા બેન્ક ખાતામાંથી, તરત રકમ ઉપડી જાય છે. બેન્કના ડેબિટ કાર્ડમાં એટીએમમાંથી કે ખરીદી વખતે રકમની મર્યાદા આપણે પોતે સેટ કરી શકીએ છીએ, યુપીઆઇમાં એવી કોઈ મર્યાદા સેટ કરી શકાતી નથી, એટલે આંકડાની ભૂલ થાય ને ખાતામાં એટલી રકમ હોય તો આંખના પલકારામાં એ રકમ જાય! આ મર્યાદા સમજી, યુપીઆઇનો ઉપયોગ કરતી વખતે સતર્ક રહેવું જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!