તમે શું માનો છો – અત્યારે આપણા સૌનું જીવન કપરું મૂકનારો કોરોના વાઇરસ કુદરતનો કોપ છે કે પછી અળવીતરા માણસે સર્જેલો અભિશાપ છે?
ગયા વર્ષે કોરોનાનો પ્રસાર શરૂ થયો એ જ સમયથી, આ વાઇરસ લેબમાં જાણી-જોઇને પેદા કરવામાં આવ્યો છે એવી એક થીઅરી વહેતી થઈ છે. બધી બાબતોની જેમ, આ બાબતે દુનિયાના વિચારો વહેંચાયેલા છે, પણ આ વાત સાચી માનનારો એક મોટો વર્ગ છે. અત્યાર સુધી, આ વાતને ‘સાચી’ ઠરાવતી પોસ્ટ્સ પર ફેસબુકનો પ્રતિબંધ હતો. હવે ફેસબુકે આ પ્રતિબંધ હટાવી લીધો છે! જો કોઈ વ્યક્તિ આવા દાવા સાથે ફેસબુક પર પોસ્ટ મૂકે તો કંપની તેને દૂર કરતી હતી અને વારંવાર એવું કરનારાનું એકાઉન્ટ જ સસ્પેન્ડ થતું હતું.
