આધાર વ્યવસ્થા ખોરવાયા છતાં, ભારતમાં હવે બાયોમેટ્રિક્સ આધારિત ઓથેન્ટિકેશન વધી રહ્યું છે. ભારત સરકારે એરપોર્ટ્સ પર ટ્રાવેલ પ્રોસેસ પેપરલેસ બનાવવા અને મલ્ટીપલ પોઇન્ટ્સ પર આઇડેન્ટિટી ચેક્સની ઝંઝટ ટાળવા માટે ‘ડિજિયાત્રા’ નામની એક નવી પહેલ શરૂ કરી છે. જેનો લાભ લઈને પ્રવાસીઓ કિઓસ્ક પર પોતાનો ચહેરો સ્કેન કરાવીને એરપોર્ટમાં એન્ટ્રી, સિક્યોરિટી ચેક અને એરક્રાફ્ટ બોર્ડિંગની પ્રક્રિયા સરળ બનાવી શકે છે.
પહેલા તબક્કામાં આ વ્યવસ્થા દિલ્હી, મુંબઈ, કોલકાતા, પૂણે, વિજયવાડા, વારાણસી, હૈદ્રાબાદ, બેંગલુરુ અને કોચિન એરપોર્ટ્સ પર અમલમાં મૂકાઈ રહી છે. અલબત્ત, પ્રવાસીઓ માટે પોતાનો ચહેરો સ્કેન કરાવવો ફરજિયાત નથી. હાલમાં આ લાભ લેવા માટે પ્રવાસીએ આધાર કે અન્ય આઇટી પ્રૂફ આપવું પડે છે.
