ભારતમાં પહેલાં એવી સ્થિતિ હતી કે આપણે પોતાની મોબાઇલ નેટવર્ક કંપની બદલવી હોય તો ફોનનો નંબર પણ બદલવો પડતો હતો. આ પછી મોબાઇલ પોર્ટેબિલિટીની સુવિધા મળતાં આપણે નંબર બદલવાની અને કેટકેટલાય લોકોને તેની જાણ કરવાની ઝંઝટમાંથી ઉગરી ગયા.કંઈક આ જ રીતનો બદલાવ હવે ભારતની રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) ટેલિફોન અને ડાયરેક્ટ ટુ હોમ (ડીટીએચ) ટીવીના ક્ષેત્રે લાવી રહી છે.
પહેલા મોટા ફેરફારમાં ટ્રાઇએ મોબાઇલ અને લેન્ડલાઇન બંને માટે એકસરખા નંબર આપવાનો સુધારો સૂચવ્યો છે. બીજા મોટા ફેરફાર તરીકે ટ્રાઇએ, મોબાઇલ પોર્ટેબિલિટીની જેમ ટીવી માટે સેટટોપ બોક્સ બદલ્યા વિના, આપણને સર્વિસ આપતી કંપની બદલી શકાય એવો સુધારો સૂચવ્યો છે. અત્યારે આપણે ડીટીએચ કંપની બદલવી હોય તો સેટટોપ બોક્સ માટે નવેસરથી ખર્ચ કરવો પડે છે અથવા ડીટીએચ કંપનીની મનમાની ચલાવી લેવી પડે છે.
