ભારત સરકારે વિવિધ આંકડાકીય માહિતી મેળવવા માટે કાગળ આધારિત પ્રશ્નપત્રોના કાગળિયાને બદલે ટેબલેટનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છો.
નોટબંધી પછી રેલવેમાં ઓનલાઇન બુકિંગમાં સર્વિસ ફી માફ કરી દેવાઈ હતી. હવે તેની મુદત વધારાતાં, રેલવે બુકિંગમાં રૂ.૨૦થી ૪૦ની બચત માર્ચ ૨૦૧૮ સુધી ચાલુ રહેશે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની એક ઘોષણા મુજબ, આવતા એપ્રિલ મહિના સુધીમાં જુદાં જુદાં મોબાઇલ વોલેટ ઇન્ટરઓપરેબલ બની જશે, એટલે કે આપણે પેટીએમ વોલેટમાંથી મોબિક્વિક કે બીજા વોલેટમાં રૂપિયાની આપલે કરી શકીશું. અલબત્ત, એ માટે દરેક ખાતાં નો-યોર-કસ્ટમર (કેવાયસી)ના નિયમોનું પાલન કરે તે અનિવાર્ય રહેશે.
ભારતે છેલ્લાં ત્રીસ વર્ષમાં ઇન્ટરનેટ પર જેટલો ડેટા પેદા કર્યો છે, એટલો જ છેલ્લાં ત્રણ વર્ષમાં પેદા કર્યો છે!
