રેલવે તંત્રને પાટે ચડાવવાનું અને તે માટે ટેક્નોલોજીનો સારો એવો ઉપયોગ કરવાનું શ્રેય જેમના શિરે હતું તે મોદી સરકારના રેલવે મંત્રી સુરેશ પ્રભુએ શ્રેણીબદ્ધ અકસ્માતો પછી વિદાય લેવી પડી અને તેમના પછી નવા નિમાયેલા રેલવ મંત્રી પિયુષ ગોયલેને રેલવે અકસ્માતો રોકવા ટેકનોલોજી પર નિયંત્રણો શરૂ કર્યાં છે!
તાજેતરમાં ભારતીય રેલવેના દિલ્હી ડિવિઝને એક આદેશ જાહેર કરીને રેલવેના કર્મચારીઓના વોટ્સએપ ઉપયોગ પર પ્રતિબંધ લાદી દીધો છે, જે મુજબ રેલવેના મેઇન્ટેનન્સ તથા સેફ્ટી સ્ટાફ જેમ કે, ટ્રેકમેન, ગેંગમેન, રેલવે ક્રોસીંગ પરના ગાર્ડઝ, એન્જિન ડ્રાઇવર, ટ્રેન ગાર્ડ્ઝ, સ્ટેશન મેનેજર તથા ટીકીટ મેનેજર્સ વગેરે તેમના ફરજના કલાકો દરમિયાન વોટ્સએપનો ઉપયોગ કરી શકશે નહીં.
જોકે વોટ્સએપની જેમ યુટ્યૂબમાં પણ ફરજ પરના લોકો સતત પરોવાયેલા રહેતા હોવા છતાં પ્રતિબંધમાં માત્ર વોટ્સએપનો ઉલ્લેખ છે.
એ પણ નોંધવા જેવું છે કે અગાઉ આ જ રેલવે તંત્રએ વિવિધ વોટ્સએપ ગ્રુપ બનાવીને સ્ટેશન્સમાં સ્વચ્છતા જાળવવા માટેની પહેલ કરી હતી!
