ઉરુગ્વેની ફૂટબોલ ટીમને ચીલીના પાટનગર સાન્તિઆગો લઈ જતું ફેરચાઇલ્ડ એફએચ-૨૨૭ વિમાન એન્ડીઝ પર્વતમાળાઓમાં તૂટી પડ્યું, એ સાથે જ શરૂ થયો એક એવો સિલસિલો, જે માનવ સભ્યતાના ઇતિહાસમાં વિશિષ્ટ કારણોસર યાદગાર બની રહેવાનો હતો.
કેમ કે, અકસ્માતમાંથી બચી ગયેલા લોકોએ જીવન ટકાવી રાખવા માટે પોતાના મૃત સાથીદારોનું માંસ આરોગવાનો કપરો નિર્ણય લીધો. તેમની ૭૨ દિવસની સંઘર્ષકથા પરથી અંગ્રેજીમાં ‘અલાઇવ’ નવલકથા અને ૧૯૯૩માં તેની પરથી ફિલ્મ બની ચૂકી છે. ગુજરાતી વાચકોની ત્રણ પેઢી વિજયગુપ્ત મૌર્યની કલમે બેજોડ રીતે લખાયેલા પુસ્તક ‘જિંદગી જિંદગી’ થકી આ કથા સાથે પોતીકાપણું અનુભવતી રહી છે.
બચી ગયેલા ૧૬ જણમાંથી પેદ્રો અલ્ગોતર્નિા મોઢે તેમનો અનુભવ અને તેમાંથી શીખવા મળેલા નેતૃત્વના ગુણની વાત :http://goo.gl/646gO
