કોરોનાના પ્રસાર સમયથી ભારતમાં રેલવે મુસાફરી ઘણે અંશે ખોરવાઈ ગઈ છે પરંતુ આઇઆરસીટીસીની વેબસાઇટ અને રેલ કનેક્ટ એપ અપડેટ કરવામાં આવી છે.
ગયા વર્ષના છેલ્લા દિવસે આઇઆરસીટીસીની વેબસાઇટ અને એપને નવાવર્ઝન લોન્ચ કરવામાં આવ્યા. તંત્રના દાવા મુજબ આ અપગ્રેડેશનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લેવામાં આવી છે જેને કારણે યૂઝર્સ માટે બુકિંગ ઘણું સહેલું બનશે.
આઇઆરસીટીસીની વેબસાઇટને નવો લૂક આપવામાં આવ્યો છે તેમજ ટ્રેઇનની અવેબિલિટી, ભોજન અને એકોમોડેશનનું બુકિંગ, છેલ્લાં ટ્રાન્ઝેકશનની વિગતો વગેરે બાબતોમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને આમાંની મોટા ભાગની વિગતો એક ક્લિકથી ઉપલબ્ધ કરવામાં આવી છે.

