(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇન્ટરનેટ પર પ્રતિબંધ માટે નિશ્ચિત માળખું ઘડાશે

ગુજરાતમાં પાટીદાર આંદોલન વખતે અને ત્યાર પછી એક પરીક્ષા વખતે રાજ્ય સરકારે ઇન્ટરનેટ પર કામચલાઉ પ્રતિબંધ લાદ્યા હતા. કેન્દ્ર સરકારે પણ ભારતભરમાં આ રીતે વારંવાર ઇન્ટરનેટ પર પ્રતિબંધ લાદવો પડે છે – ખાસ કરીને કાશ્મીરમાં.

આ રીતે ઇન્ટરનેટ એક્સેસ પર તાળાબંધી કેટલી યોગ્ય છે તે બાબત હંમેશા પ્રશ્નોના ઘેરામાં રહી છે, પરંતુ કેન્દ્ર સરકારના સંદેશવ્યવહાર મંત્રાલયે હવે આ વિશે નિશ્ચિત નિયમો લાગુ કરવાનું નક્કી કર્યું છે. જે અનુસાર જાહેર કટોકટીમાં અથવા જાહેર સલામતી માટે સરકાર ફોન-ઇન્ટરનેટ સેવાઓ કામચલાઉ ધોરણે બંધ કરી શકશે. નવા નિયમો અનુસાર માત્ર કેન્દ્ર અને રાજ્ય સરકારના ગૃહસચિવ આ પ્રકારે પ્રતિબંધ લાદવાના આદેશ આપી શકશે.

ભારતમાં આ વર્ષમાં ચાલીસથી વધુ વાર વિવિધ રાજ્યોમાં ઇન્ટરનેટ પર કામચલાઉ પ્રતિબંધ લાદવામાં આવ્યા છે. અલબત્ત નવા નિયમોમાં પણ જાહેર કટોકટી કે જાહેર સલામતીની સ્પષ્ટ વ્યાખ્યા ન કરવામાં આવી હોવાથી આ બાબતે હજી પણ અવ્યવસ્થા જળવાઈ રહે તેવું બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!